Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાજપની ટીકીટમાં રઘુવંશી સમાજને અન્‍યાયઃ આજે કમલમ ખાતે ઉમટી પડવા આહવાન

આખા ગુજરાતમાં માત્ર એક (વાંકાનેર) ટીકીટ ફાળવી

રાજકોટ, તા., ૧૨: અમદાવાદ ખાતે રુઘુવંશી લોહાણા સમાજના સામાજીક આગેવાનોની મીટીંગ મળી જેમાં ટીકીટમાં અન્‍યાય સામે રજુઆત કરવાનો નિર્ણય લેવાયેલ તે મુજબ આજે તા. ૧ર શનીવારે બપોરે ર વાગ્‍યે ગાંધીનગર બીજેપીના કાર્યાલય કમલમ ખાતે બહોળી સંખ્‍યામાં આપણા સમાજના લોકોએ પહોંચી જવુ તેમ સોશ્‍યલ મીડીયામાં મેસેજમાં જણાવાયું છે.

મેસેજમાં વધુમાં જણાવાયું છે કે હંમેશા બીજેપીને વફાદાર રહેલા આપણા સમાજને ટીકીટોની ફાળવણીમાં થયેલા અન્‍યાયને દુર કરીને બીજી ર જગ્‍યાએથી ટીકીટસ આપીને કુલ ૩ ઉમેદવારોને બીજેપીના ઉમેદવાર બનાવે તેવી હક્કથી ભારપુર્વક રજુઆત કરવાની છે. પાર્ટી રાજકારણથી પર રહીને આખા ગુજરાતના સર્વે રઘુવંશીઓને વિનંતી કે મોટી સંખ્‍યામાં હાજર રહીને આપણા સમાજના રાજકીય અસ્‍તિત્‍વની આ લડાઇમાં સહભાગી બનશે તેવી અપીલ કરાયેલ છે.

(1:42 pm IST)