Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સુરતના કતારગામમાં પરિણીતાની પતિએજ હત્યા કરી હોવાનો આક્ષેપ

સુરત: કતારગામમાં  યુવાન પરિણિતાની તેના ફલેટમાં જ ગળે ટૂંપો આપી હત્યા કરેલી લાશ મળવાની ઘટનામાં પોલીસ તપાસમાં લગ્નેતર સંબંધ બાબતે થયેલા વિખવાદમાં પતિએ જ પિતરાઇ ભાઇ સાથે મળી પત્નીની હત્યા કરી લૂંટનું તરકટ રચ્યું હોવાનું તેના પિતરાઇ ભાઇએ કબૂલ્યું છે. જો કે, પતિ ઇન્કાર કરી રહ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ ધનમોરા સર્કલ  પાસે રણછોડનગર બાલાજી એપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦૩ના બેડરૃમમાંથી ગત સાંજે યુવાન પરિણીતા રીના મનોજભાઇ ચોટલીયા (ઉ.વ. ૨૮)ની ગળે ટૂંપો આપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. કડીયાકામ કરતો રીનાનો પતિ ઘરે પરત ફર્યો ત્યારે પત્નીની લાશ નજરે ચઢતાં તેણે ઘરમાં તપાસ કરી તો કબાટના ચોરખાનામાં રાખેલી સોનાની બે ચેઇન, સોનાની ત્રણ વીંટી, સોનાની એક જોડ અને રોકડા રૃ. ૧૫,૦૦૦ મળી કુલ રૃ. ૯૫,૦૦૦ની મત્તાની લૂંટ થઇ હોવાનું પણ જાણવા મળતાં તેણે કતારગામ પોલીસ મથકમાં લૂંટ વીથ મર્ડરની ફરિયાદ નોંધાવી હતી. 

 

 

(5:11 pm IST)