Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમદાવાદના વસ્ત્રાલમાં વ્યાજે લીધેલ પૈસાની માંગણી કરી ચાર શખ્સોએ આધેડને માર મારતા ફરિયાદના આધારે તપાસ શરૂ

અમદાવાદ:વસ્ત્રાલમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા આધેડે ત્રણ મહિના પહેલા રૃા. ૧૦ હજાર લીધા હતા જે રૃપિયા આપી દીધા હતા છતાં ચાર શખ્સોએ રૃા. ૫૦ હજારની માંગણી કરીને ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં વિનય પાર્કની બાજુમાં આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા અશ્વિનભાઇ લાભુભાઇ મિસ્ત્રીએ ત્રણ મહિના અગાઉ અમરાઇવાડી વિસ્તારમાં મહાવીરનગર ખાતે રહેતા ગૌતમ ભૈયાજી પાસે રૃા. ૧૦ હજાર વ્યાજે લીધા હતા જે રૃપિયા આપી દીધા હોવા છતાં ગઇકાલ તેમના ઘરે આવીને રૃપિયાની ઉઘરાણી કરીને ઓફિસે બોલાવ્યા હતા અને ચાર શખ્સોએ ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

(5:25 pm IST)