Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને પુષ્પોના શણગાર સજવામાં આવ્યા.

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રીજી સ્વયંમૂર્તિ અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને મોગરાના મઘમઘતા સુગંધીમાન  ધવલ પુષ્પોથી કલાત્મક મનોરમ્ય શણગાર ધરાવ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં ભગવાનને ઋતુ અનુસાર શણગાર કરવામાં આવે છે. અત્યારે કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિભાવથી પૂજનીય સંતોએ શ્રીજીબાપા સ્વામીબાપાને શણગાર સજાવવામાં આવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે  ધવલ સુગંધીમાન ફૂલોમાં દર્શનદાન અર્પતા સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની નિરાજન – આરતી ઉતારી અને સહુ સંતો-ભક્તોને અવિસ્મરણીય દર્શન કરાવ્યાં હતાં. સૌ દર્શનાર્થીઓએ ગગનભેદી જયનાદોથી મંદિરને ગજવ્યું હતું.

(12:50 pm IST)