Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

આણંદના પૂર્વ ધારાસભ્ય -પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલનું નિધન: થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયેલા

મિલસેન્ટ ઘરઘંટીના પણ માલિક અને સેવાભાવી રોહિતભાઈ પટેલના નિધનથી ઘેરા શોકની લાગણી

આણંદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થતાં શોકની લાગણી પ્રવર્તવા પામી છે, તેઓ આણંદ ખાતે મિલસેન્ટ ઘરઘંટીના પણ માલિક હતા અને તેઓ થોડા દિવસ પેહલા કોરોનાથી સંક્રમીત થયા હતા, તેઓની સારવાર ચાલી રહી હતી.

આણંદ જિલ્લાના ખૂબ જ સેવાભાવી અને લોકડાઉન દરમ્યાન સેવા સતત પ્રવાહ જેમના થકી વહેતો રહ્યો એવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં કાર્યકરોમાં શોકની લાગણી પ્રવર્તી છે.

(8:54 pm IST)