Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

દહેજના મામલે આણંદ નજીક સામરખામાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ: નજીક આવેલા સામરખા ગામે રહેતી એક પરિણીતા પાસે નવું મકાન લેવા માટે ૨૦ લાખ પિતાને ત્યાંથી લઈ આવવાની માંગણી કરીને પતિ તથા ઘરના સભ્યોએ શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મુકતાં અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીન તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર આણંદ શહેરની ચૈતન્ય ટાઉનશીપમાં રહેતી અર્પિતાબેનના લગ્ન સામરખા ગામે રહેતા દિપાંગ કનુભાઈ રાઠોડ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. લગ્નના ૧૫ દિવસ બાદથી પતિ અને ઘરના સભ્યોએ ઘરના કામકાજ બાબતે તેમજ દહેજ બાબતે મેણાં ટોણા મારવાનું ચાલુ કરી દીધું હતુ. પતિ દારૂ પીવાની ટેવવાળો હોય અવાર-નવાર દારૂ પીને મારઝુડ પણ ચાલુ કરી દીધી હતુ. ઉપરાંત પતિને અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ હોય તેને લઈને તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો

(5:40 pm IST)