Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમદાવાદમાં નસીલા પદાર્થોની હેરાફેરી પ્રકરણમાં ૧ શખ્સને ૧૦ વર્ષની કેદઃ ૪ નિર્દોષ

રાજકોટઃ અમદાવાદમાં નસીલા પદાર્થોની હેરાફેરીના કેસમાં સેસન્સ કોર્ટ દ્વારા ૧ દોષીતને ૧૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જયારે ૪ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકયા છે. આ કેસમાં ર૯ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી. પ૮ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. પાંચ આરોપીઓની ર૦૧૪ માં પોલીસે ધરપકડ કરી હતી.

(6:12 pm IST)