Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમદાવાદના બાપુનગરમાં પ્રેમ પ્રકરણના મામલે યુવક પર ચપ્પુના 11 ઘા જીકાયા

અમદાવાદ:બાપુનગરમાં રહેતા યુવકને મંગળવારે મધરાતે નરોડામાં રહેતા મિત્રએ જ છરીના ઉપરા છાપરી ૧૧ ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ ઘટના બની હતી. શહેર કોટડા પોલીસે ખૂનનો ગુનો નોધી ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 


બાપુનગરમાં અનિલ મીલ રોડ પર ગાભાજી મંગાજીની ચાલીમાં રહેતા વર્ષાબેહન મહેશભાઇ પરમારે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવી છે, કે તેઓ મંગળવારે રાતે તેમના બે સંતાનો સાથે સૂઇ ગયા હતા અને વહેલી સવારે પડોશીઓએ જાણ કરી હતી કે ચાલીના નાકે તેમનો પુત્ર ભાવિક લોહી લુહાણ હાલતમાં પડયો છે.

આ બનાવની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકે માતાને કહ્યં કે મંગળવારે રાત્રે ૩.૩૦ કલાકે નરોડા અશોક મીલની ચાલીમાં રહેતા તેના મિત્ર સંજય સોલંકીને તેને બોલાવીને છોકરીના પ્રેમ પ્રકરણ બાબતે તકરાર કરીને છરીથી ગળા તથા છાતી સહિત શરીરના ભાગે ૧૧ ઘા માર્યા હતા. જો કે યુવકનું આજે સાંજે સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હોવાનું ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.તડવીએ જણાવ્યું હતું.

(5:36 pm IST)