Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ખેડબ્રહ્મા માતાજીના દર્શન-પૂજન કરી આશિર્વાદ મેળવતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર :  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત માંગોલ નદીને :જીવિત કરવાના કાર્યમાં સહભાગી થતાં પૂર્વે ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન-પૂજન કરી આશિર્વાદ મેળવ્યા હતા.

પ્રસિધ્ધ યાત્રાધામ અને નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરી મુખ્યમંત્રીશ્રીએ જગત જનની અંબામા સમક્ષ જળ સંચયથી સમગ્ર ગુજરાત જળ સંકટનો સામનો કરવા સક્ષમ બને તેવી અભ્યર્થના કરી હતી. તેમણે ચોમાસામાં વ્યાપક વર્ષાની વાંચ્છના પણ કરી હતી.

      વેળાએ  સાંસદ દિપસિંહ રાઠોડ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણભાઇ વોરા, શ્રીમતી અંજલિબહેન રૂપાણી, મહિલા મોરચા અગ્રણી શ્રીમતી રમિલાબહેન બારા તથા જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી ડૉ. જ્યંતિ રવિ પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.

(4:21 pm IST)