Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ: 9 જ્યોતિષીઓ સામે ગુનો દાખલ : 5 જ્યોતિષીઓએ આગોતરા જમીન અરજી કરી

અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોષીની અરજી પર સુનાવણી થઇ: અન્ય 4 જ્યોતિષીઓની અરજી પર 12 માર્ચે સુનાવણી

 

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાતના મામલે 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી 5 જ્યોતિષીઓએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. જયારે અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોષીની અરજી પર સુનાવણી થઇ છે. જયારે અન્ય 4 જ્યોતિષીઓની અરજી પર 12 માર્ચે સુનાવણી થશે.જયારે આમાંથી રાજસ્થાનના પુષ્કરના જ્યોતિષ ખીનરાજ જોષીનું મૃત્યુ થયું છે.

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો હતો. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3 લોકોના તુરંત મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી દિપ્તી સોનીનું પણ હવે મૃત્યુ થઈ ગયું છે.

(11:51 pm IST)