Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ચારને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

મહુધા: શહેરમાં ફિણાવ ભાગોળ વિસ્તારમાં આવેલ કાછીયાવાડમાં રહેતાં સુરેશભાઈ શંકરભાઈ વાઘેલા ગતરોજ સાંજના સમયે સરદારપુરાના નાકે એક્ટિવા લઈ ઊભા હતાં. તે વખતે તેમના ફળીયામાં રહેતાં ભાનુભાઈ મોતીભાઈ તળપદા એકાએક ત્યાં આવી પહોંચ્યાં હતાં. અને તુ અમારી વહુની સામે કેમ જોયા કરે છે કહી ગમેતેમ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યાં હતાં. ઝઘડો ઉગ્ર બનતાં ભાનુભાઈ તળપદાનું ઉપરાણું લઈ જયેશભાઈ હિંમતભાઈ તળપદા, લાલાભાઈ હિંમતભાઈ તળપદા અને ફુલીબેન હિંમતભાઈ તળપદા આવી જઈ સુરેશભાઈ વાઘેલાને ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં.

દરમિયાન સુરેશભાઈના પત્નિ વિદ્યાબેન અને પુત્ર કેતન છોડાવવા ઝઘડામાં વચ્ચે પડતાં ચારેય જણાંએ ભેગા મળી વિદ્યાબેન અને કેતનને પણ મારમારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે સુરેશભાઈ શંકરભાઈ વાઘેલાની ફરિયાદને આધારે મહુધા પોલીસે ભાનુભાઈ મોતીભાઈ તળપદા, જયેશભાઈ હિંમતભાઈ તળપદા, ફુલીબેન હિંમતભાઈ તળપદા અને લાલાભાઈ હિંમતભાઈ તળપદા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:19 pm IST)