Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વડોદરાના નાગરવાડા નવીધરતી વિસ્તારમાં ધોળે દિવસે તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના ઉઠાવી જતા ગુનો દાખલ

વડોદરાઃ નાગરવાડા નવીધરતી વિસ્તારમાં ફરી એક વાર ધોળે દિવસે એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરીનો બનાવ બનતાં કારેલીબાગ પોલીસે  ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવીધરતી રાણાવાસમાં રહેતા સિનિયર સિટિઝન દેવેન્દ્ર રતિલાલ રાણાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.છઠ્ઠીએ સવારે આઠ થી બપોરના બે વાગ્યા દરમિયાન ચોરીનો બનાવ  બન્યો હતો.પરિવારના સદસ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાથી ચોરે તકનો લાભ લીધો હતો. સામાન્ય રીતે ઉપરોક્ત વિસ્તારમાં સતત અવરજવર રહેતી હોય છે.આમ છતાં દેવેન્દ્રભાઇના મકાનમાં કોઇ ચોર ઘૂસી ગયો હતો અને તિજોરી ફેંદી હતી. ચોરે રૃ.૧૦ લાખ ઉપરાંતની કિંમતના ૩૦ તોલા દાગીના અને રૃ.૪૦ હજારની કિંમતની ૮૦૦ ગ્રામ ચાંદીની ચોરી કરી હતી.બનાવની જાણ કરતાં કારેલીબાગ પોલીસે બે દિવસ  બાદ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:30 pm IST)