Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વિદ્યાર્થીઓનું આંદોલન પાંચમા દિવસે યથાવત : યુવરાજસિંહ સામે પરીક્ષાર્થીઓએ બળાપો ઠાલવ્યો

પોલીસ ધમકાવતા હોવાનો આક્ષેપ : પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ગાંધીનગર : બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે ગાંધીનગરમાં ચાલી રહેલુ વિદ્યાર્થીઓનું આંદોલન પાંચમાં દિવસે પણ યથાવત છે..વિદ્યાર્થીઓએ આંદોલનના નેતા બનેલા યુવરાજસિંહ સામે બળાપો ઠાલવ્યો છે..વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુવરાજસિંહ આંદોલનના નામે તેમને છેતરી ગયો છે જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

   વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પોલીસ ધમકાવી રહી છે અને આંદોલનમાં નહી જોડાવા દબાણ કરી રહી છે. મહત્વનું છે કે રવિવારે વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષા આપવા ગયા હતા ત્યારે બપોરના સમયે આંદોલન સ્થળે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી પરંતુ મોડી રાત સુધીમાં એક પછી એક વિદ્યાર્થીઓ આંદોલન સ્થળે આવી રહ્યા છે.

(11:28 pm IST)