Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

બીજેપી અને આપ પાટીદાર આંદોલન સમિતના ચહેરાને ટીકીટ આપે છે તો કોંગ્રેસનો શું પેટમાં દુખે છે ? દિનેશ બાંમભાણિયા

ચૂંટણીમાં પાટીદારોને ટિકિટને લઈ દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર સમાજ એક્ટિવ થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાટીદાર ઉમેદવારોને વધુ ટિકીટ આપી રહ્યા છે. ચૂંટણીમાં પાટીદારોને ટિકિટને લઈ દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા છે

પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ ચુંટણીમા બીજેપી અને આપ પાટીદાર આંદોલન સમિતના ચહેરાને  ટીકીટ આપે છે તો કોંગ્રેસનો શું વાંધો છે તેવા સવાલ સાથે ટવીટ કરીને પાટીદાર મુદ્દે ફરી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

નોંધનીય છે કે, પાટીદાર આંદોલનના નામે ગુજરાત કોંગ્રેસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પાટીદાર આંદોલનકારી દિનેશ બામભણીયાએ કોંગ્રેસને સવાલ કર્યો હતો. જેમાં બાંમભાણિયાએ પુછ્યું હતું કે, પાટીદાર આંદોલન સમિતિના ચહેરાઓને ભાજપ-આપ એ ટિકિટ આપી છે. પાટીદાર આંદોલનના ચહેરાઓને ટિકિટ આપવામાં કોંગ્રેસને શું પેટમાં દુખે છે? 

કોંગ્રેસે પાટીદાર આંદોલન સમિતિના ચહેરાઓને ટિકિટ આપવી જોઈએ. પાસના ત્રણ સભ્યો મનોજ પનારા, ગીતાબેન પટેલ અને અમિત ઠુમ્મરે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. પાસના લલિત વસોયા, કિરીટ પટેલ હાલ કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે.

(12:38 am IST)