Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજપીપળા દરબાર રોડ પરથી ગુમ થયેલો યુવાન પરત ફરતા પોલીસે જવાબ લેવા તજવીજ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં દરબાર રોડ પરથી એક ઈસમ ગુમ થતાં તેના પત્નીએ રાજપીપળા પોલીસને જાણ કરી છે
 મળતી માહિતી મુજબ રાજપીપળાનાં દરબાર રોડ રણછોડજી મંદિર પારેખ ખડકીમાં રહેતા અર્ચનાબેન મિતલકુમાર વાલીઆ એ પોલીસને જાણ કર્યા મુજબ તેમના પતિ મિત્તલ જયરામભાઇ વાલિયા ઉ.વ.37 નાઓ ગત તારીખ 11.10.22 નાં રોજ રાત્રે આઠ વાગે પોતાન ઘરેથી દિલ્હી ટ્રાવેલ્સની ઓફીસે જવુ છે તેમ કહી તેમના કપડા તથા રોજીંદા વપરાશ માટેનો સામાન લઈને નીકળેલ જેઓ પરત નહિ આવતા ઘણા અર્ચનાબેનની ફરિયાદનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે હાલ ટાઉન પી.આઇ.જે.કે.પેટલના જણાવ્યા મુજબ ગુમ થનાર મિત્તલ વાલિયા પરત આવી ગયો છે અને હાલમાં તેની તબિયત ખરાબ હોવાથી સ્વસ્થ થયે તેનો જવાબ આપશે.

(10:20 pm IST)