Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકાર્પણ બાદ અત્યાર સુધીમાં એક કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે બસોની સુવિધાથી લઈને અન્ય સુવિધાઓ પણ વધારાઈ :ગુજરાત સહીત સમગ્ર વિશ્વમાં હોટ ફેવરિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આસપાસના આદીવાસીઓ રોજગાર મેળવવા થયા છે.31 મી ઓક્ટોબર 2018 ના રોજ જ્યારે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યારે એમણે જાહેર મંચ પરથી એમ કહ્યું હતું કે સ્થાનિક આદીવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે રોજગારી મેળવતા થશે.ત્યારે ક્યાંકને ક્યાંક પીએમ મોદીનું આ વાક્ય સાર્થક થતું હોય એમ લાગી રહ્યું છે.

નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 મી ઓક્ટોબર 2018 થી આજ સુધીમાં 1 કરોડ પ્રવાસીઓ નોંધાતા કરોડો રૂપિયાની આવક થઈ છે.નોંધાયા છે.દીવાળીના દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.વિદેશથી પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા છે.છેલ્લા બે વર્ષ સુધી કોરોના કાળના લીધે પ્રવાસનધામોને તહેવારોમાં ખૂબ મોટી અસર થતી હતી.પરંતુ બે વર્ષ બાદ આ વખતની દિવાળીમાં તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા છે.ત્યારે સોમવારના દિવસે સામાન્ય દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવતુ હોય છે.પરંતુ આ વખતે દિવાળી હતી જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવ્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે બસોની સુવિધાથી લઈને અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવી હતી ગુજરાત સહીત સમગ્ર વિશ્વમાં હોટ ફેવરિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે

(8:37 pm IST)