Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજ્યમાં કોરોના હાંફ્યો :નવા 39 કેસ નોંધાયા: વધુ 45 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.040 થયો :કુલ 12.65,697 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 6499 લોકોનું રસીકરણ કરાયું

-મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 390 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 45 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,65.697 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,040  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.10 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 6499 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,75.26.069  લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 390 એક્ટિવ કેસ છે.જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે,જ્યારે 389 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 39 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ,અમરેલી અને સુરત કોર્પોરેશનમાં 3-3 કેસ,મોરબી, રાજકોટ,અને સુરતમાં 2-2 કેસ,અમદાવાદ. બનાસકાંઠા,ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, કચ્છ, મહેસાણા અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે

(7:36 pm IST)