Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ જલારામ મંદિરના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ લાકડામાં આગ ભભૂકી

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ જલારામ મંદિરના કમ્પાઉન્ડમાં કેટલાક લાકડા મૂકવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે અહીંના લાકડામાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. બનાવની જાણ ફાયર બ્રિગેડના જવાનોને કરાતા ફાયર ફાઈટર અહીં દોડી આવ્યા હતા અને પાણી મારો કરી આગને કાબુમાં લીધી હતી. બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગમાં થયેલા લાકડા સ્મશાનના ઉપયોગમાં લેવાતા હોવાનું જાણવા મળ્યું છે.

(6:17 pm IST)