Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી અને મનોજ સોરઠીયા કરંજ બેઠકથી ચૂંટણી લડશે

રાજકોટ તા. ૯ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાજીનું કતારગામ વિધાનસભામાં ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં ડભોલી ચાર રસ્‍તા સ્‍વામિનારાયણ મંદિર ખાતે આશીર્વાદ લઈ ઉજવણી કરવામાં આવી હતી.

જયારે આમ આદમી પાર્ટીના ગુજરાત મહામંત્રી મનોજભાઇ સોરઠીયાની કરંજ વિધાનસભા ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં કરંજ સ્‍વામિનારાયણ મંદિર દર્શન કરી ઉજવણી કરવામાં આવી હતી. આર. કે. સાનેપરા, મીડીયા ઇન-ચાર્જ AAP, સુરતએ જણાવ્‍યું હતું.

(1:43 pm IST)