Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

તારાપુર પાસે ટાઇલ્‍સ ભરેલી ટ્રકે મારી પલ્‍ટી, રાજુલાના બે લોકોના મોત

આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્‍સ ભરેલી ટ્રકે પલ્‍ટી મારતા સર્જાયેલા અકસ્‍માતમાં બે લોકોના મોત થયા હતા. મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્‍યુ છે

ગુજરાતમાં ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્‍સ ભરેલી ટ્રકે પલ્‍ટી મારતા સર્જાયેલા અકસ્‍માતમાં બે લોકોના મોત થયા હતા. મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી છે. ઘટનામાં બાળક અને એક વૃદ્ધનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. જયારે ૫ લોકો ઇજાગ્રસ્‍ત થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. અકસ્‍માત સર્જી ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્‍યા મુજબ તારાપુર ૮ લોકો આવ્‍યા હતા તે પૈકી ત્રણને પ્રારંભિક સારવાર આપી છુટા કરી દેવામાં આવ્‍યા હતા અને ત્રણને વધુ ઇજા હોય નજીકની કરમસદ હોસ્‍પિટલમાં મોકલાયા હતા વધુ વિગતો મેળવાઇ રહી છે.

(1:30 pm IST)