Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

મનીષ સિસોદિયાને મોટો ફટકો :માનહાનિ કેસને રદ કરવા ગુવાહાટી હાઈકોર્ટનો ઈન્કાર

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ કર્યો છે કેસ

નવી દિલ્હી :  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તેમના નિવેદનોને કારણે તેઓ એક પછી એક સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છે. હાલમાં જ તેમના પર ED અને CBI દ્વારા તપાસ થઈ રહી છે. તેવામાં ગુવાહાટી હાઈકોર્ટે તેમના વિરુદ્ધ થયેલા માનહાનિના કેસને રદ્દ કરવાનો ઈનકાર કર્યો છે. આ માનહાનિનો કેસ આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા દ્વારા કરવામાં આવ્યો હતો

 . દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના વિરુદ્ધમાં હિમંતા બિસ્વા એ તેમના પર માનહાનિનો કેસ કર્યો હતો.

(11:51 pm IST)