Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સુરતના અમરોલીમાં ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આરોપ

ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અને અને ત્રણ ડોક્ટરોની પેનલ બનાવી જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે.તેવી માંગણી

સુરત શહેરના અમરોલીના છાપરભાઠા વિસ્તારમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં એક મહિલાને ગર્ભાશયના ઑપરેશન માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ ઑપરેશન દરમિયાન મહિલાની તબિયત લથડતા ગણતરીના સમયમાં મોત નિપજ્યુ હતું.

 આ દરમિયાન  પરિવારે આરોપ લગાવ્યો છે કે આ મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે.  જેથી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અને અને ત્રણ ડોક્ટરોની પેનલ બનાવી જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે.તેવી માંગણી કરવામાં આવી છે  

(10:19 pm IST)