Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજપીપળા એરોડ્રામ રોડ પર ખેતરમાં એક શખ્સનો મૃતદેહ મળી આવતા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં સરકારી ઓવારા થી આગળ જતાં એરોડ્રામ માર્ગ ઉપર ઘણા ખેતરો આવેલા છે જેમાં એક ખેતરમાં કોઈ પુરુષનો મૃતદેહ મળતા ટાઉન પોલીસ હાલ ઘટના સ્થળે તપાસ કરી રહી હતી.

ઘટના સ્થળેથી પોલીસ સૂત્રો માથી મળતી માહિતી મુજબ રમેશભાઈ ડાહ્યાભાઈ કાછિયાનાં એરોડ્રામ રોડ પર આવેલા ખેતરમાં અચાનક દુર્ગંધ આવતા તેમને રાજપીપળા પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ત્યાં ખેતરની અંદર એક 30 થી 35 વર્ષીય પુરુષનો મૃતદેહ દુર્ગંધ મારતી હાલતમાં પડેલા જોવા મળ્યો હતો ત્યારે આ કોણ છે અને ખેતરમાં કેવી રીતે આવ્યો એ બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે હાલમાં ટાઉન પીઆઈ જે.કે.પટેલ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી છે હાલમાં આ મૃતદેહ કોનો છે અને કઈ રીતે મોત થયું એ હજુ જાણી શકાયું નથી પરંતુ હાલમાં અજાણ્યા વ્યક્તિ તરીકે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે હવે એફ.એસ.એલ ની મદદ લેવાશે તેમ ટાઉન પીઆઈ પટેલે જણાવ્યું હતું.

(10:15 pm IST)