Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ખંભાતમાં નજીવી બાબતે ઠપકો આપતા બોલાચાલી વધી: યુવકે ઝઘડો કરીને પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ

ખંભાત:શહેરના બાવાબાજીસા હરિજનવાસમાં ગઈકાલે એક વ્યકિતના ઘરે મરણતિથિનું જમણવાર રાખ્યું હતું. જેથી તેઓએ રસ્તો બંધ કરીને જમણવારની પંગત પાડી હતી. તે દરમિયાન ચુનારા યુવકે પંગતની પાર બાઈક લઈ જવાની કોશિશ કરતાં હરીજનોએ અટકાવ્યો હતો. જેથી બોલાચાલી થઈ હતી. તેની રીષ રાખીને યુવક અને અન્ય ચાર શખ્સોએ હરીજનવાસમાં આવીને ઝઘડો કરીને છુટ્ટા પથ્થરા મારી જ્ઞાતિવાચક શબ્દોથી અપમાન કર્યુ હતું. જે બાબતે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત શહેરના બાવાવાજીસા હરીજનવાસમાં રહેતા તુષારભાઈ અને અરવિંદભાઈ હરીજનના નાનાજીની મરણતીથી હોય તે પ્રસંગે ઘર આગળ રસ્તો બંધ કરીને પંગત પાડીને જમણવાર રાખ્યો હતો. તે દરમિયાન વિજયભાઈ જયંતિભાઈ ચુનારા બાઈક લઈને આવ્યો હતો. જમણવારની પગંતમાંથી બાઈક લઈ જવાની કોશીષ કરતાં તુષારભાઈ અને તેમના પિતા અરવિંદભાઈ તથા કીર્તીભાઈએ તેને અટકાવ્યો હતો. બાબતે બોલાચાલી થઈ હતી.

(5:06 pm IST)