Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

અમદાવાદના નરોડામાં ખારીકટ કેનાલ નજીક દબાણ હટાવવા કામગીરી શરૂ થતા હોબાળો:વેપારીઓ-કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ

લોકોના ટોળા એકઠા થતા વાતાવરણ તંગ :રોષે ભરાયેલા વેપારીઓ-કર્મચારીઓ વચ્ચે ગાળાગાળી

અમદાવાદ:નરોડામાં આવેલ ખારીકટ કેનાલ પાસે મ્યુનિ.ની દબાણ ખાતાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા હોબાળો મચી ગયો હતો. આસપાસ લોકોના ટોળા એકઠા થઇ જતા વાતારણ તંગ બની ગયુ હતુ.

  અંગે મળતી વિગત મુજબ મ્યુનિ. દબાણ ખાતાની ટીમ નરોડામાં આવેલ ખારીકટ કેનાલ પાસે પહોંચી ગઇ હતી, જ્યાં દુકાનોની બહાર લગાવી દીધેલા બોર્ડ સહિત વાહનો ઉઠાવવાની કામગીરી ચાલુ કરતા દબાણ ખાતાના કર્મચારીઓ-વેપારીઓ રીતસરના આમને સામને આવી ગયા હતા.

  દબાણ હટાવવાના મુદે રોષે ભરાયેલા વેપારીઓ-કર્મચારીઓ ગાળાગાળી પર આવી ગયા હતા. બંનેપક્ષશ્રો વચ્ચે સંઘર્ષ થતા આસપાસ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે વેપારીઓએ ઉગ્ર માંગ કરી હતી કે પહેલા નરોડા ગામમાંથી દબાણ હટાવો ત્યારબાદ અહીથી હટાવો. જો ત્યાંથી નહી હટાવો તો ભૂખ હડતાળ પર ઉતરવાની પણ ચીમકી આપી હતી.

(8:58 pm IST)