Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

બોરસદની સોસાયટીઓમાં વાનરોનો ત્રાસ :ઘરમાં ઘુસતા ફેલાયો ભય :ધાબે સુતા લોકોને ભર્યા બચકા:ચારને ઇજા

આઠથી દસ વાનર ટોળકીનો આતંક :નિરાકરણ લાવવા રહીશોની માંગણી

બોરસદની સોસાયટીઓમાં વાનરોએ ત્રાસ ફેલાવ્યો છે યેનકેન પ્રકારે ઘરમાં ઘુસી જતા વાનરોને કારણે લોકોમાં ભય ફેલાયો છે  સિંગલાવ રોડ પરની સોસાયટી વિસ્તારમાં વહેલી સવારથી જ વાંદરાના ટોળેટોળા આ વિસ્તારમાં ઉમટી પડે છે. મકાનોના ધાબા અને કયારેક ખુલ્લા બારણામાંથી ઘરમાં ઘૂસી જતા વાંદરાઓએ ભયનો માહોલ ફેલાવ્યો છે.વન વિભાગ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા સત્વરે પગલા હાથ ધરવા સ્થાનિકોની માંગ થવા પામી છે.

    બોરસદના પૂર્વ વિસ્તારમાં આવેલ રવિકુંજ સોસાયટી, રોહિતનગર, રાજનગર સોસાયટી, સૂર્યનારાયણ સોસાયટી સહિત ૪૦૦ રહેણાંક વિસ્તારમાં છેલ્લા આઠ-દસ દિવસથી વાનરોની ટોળીએ આંતક ફેલાવ્યો છે. રાહદારીઓ પર હુમલા સહિત મકાનના ધાબે સૂઇ રહેલા લોકોને નિશાન બનાવીને વાનરો ત્રાટકે છે. જેમાં છેલ્લા પ દિવસમાં ચાર લોકોને ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળે છે.

(10:23 am IST)