Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

તળાવમાં ડૂબી જતા 14 વર્ષીય બાકરોલના તરુણનું કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામના તળાવમાં ડૂબી જવાને કારણે એક ૧૪ વર્ષીય કિશોરનું મોત થયું હતુ. અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર બાકરોલ ગામે રહેતો સોહિલખાન ઉસ્માનખાન પઠાણ (ઉ. વ. ૧૪)પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજના વાગ્યાના સુમારે તે ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ જવા પામ્યો હતો. મોડીરાત્રી સુધી ઘરે પરત ના ફરતા ઘરના સભ્યોએ તેની તપાસ હાથ ઘરી હતી. જેમાં તેના કપડાં નજીકમાં આવેલા તળાવ કિનારેથી મળી આવ્યા હતા. જેથી તળાવમાં તપાસ કરતાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને તુરંત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું પીએમ કરાવવામાં આવ્યું હતુ જેમાં તેનું મોત ડૂબી જવાને કારણે થયું છે. જેથી એવુ મનાઈ રહ્યું છે કે, સોહિલખાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવો જોઈએ. 

(6:05 pm IST)