Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

આદિવાસી પ્રમાણપત્રના મુદ્દે પંચ રચાશે

રાજકોટઃ. આદિવાસીઓના પ્રમાણપત્રના મુદ્દે ચાલતા મોટા વિવાદનો અંત લાવવા આજે રાજ્યમંત્રી મંડળની બેઠકે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વનો નિર્ણય કર્યો છેઃ આ નિર્ણય મુજબ આદિવાસીઓના પ્રમાણપત્રની પાત્રતા નક્કી કરવા હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં કમિશન રચાશેઃ ગીરઆલેય અને બરડા વિસ્તારના માલધારીઓએ આ મુદ્દે મોટુ આંદોલન ચલાવ્યુ હતું: સરકાર સાચા આદિવાસીઓને પ્રમાણપત્ર આપવા માગે છેઃ પંચ સુચવે તે મુજબ પ્રમાણપત્ર મેળવવા માટે લાયક લોકોની યાદી જાહેર કરાશેઃ આદિજાતિ વિકાસ અને વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની જાહેરાત

(3:59 pm IST)