Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલદોલોત્સવની દિવ્ય ઉજવણી

શ્રીજી મહારાજને ગુલાલ તથા રંગથી અભિષેક કરાયો : 222 કિલોથી વધુ ખજૂર, ધાણી, દ્રાક્ષ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીની નિશ્રામાં ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજી મહારાજને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો. પર્વ નિમિતે 222 કિલોથી વધુ ખજૂર, ધાણી, દ્રાક્ષ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને ધાણી તથા હારડાનો શણગાર કરવામાં આવ્યો હતો

(11:48 pm IST)