Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

હવે હાર્દિકના નિવેદનથી નવો વિવાદ છેડાઈ ગયો

ત્રાસવાદી-શરાબ ઠેકેદાર એક સમાન

અમદાવાદ,તા.૭: આતંકવાદી પ્રજાની જાન લે છે અને શરાબના ઠેકેદારો પણ આજ કામ કરે છે. જેથી તેમના મત મુજબ ગાંધીના ગુજરાતમાં આતંકવાદી અને દેશી શરાબના ઠેકેદારો એક સમાન છે. આ અંગેની પ્રતિક્રિયા હાર્દિક પટેલે આપ્યા બાદ એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. લઠ્ઠાકાંડના બનાવ બાદ દારૂબંધીને લઈને હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને સરકાર સામે મેદાનમાં ઉતરી ગયો છે. તેન સાથે અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ મેદાનમાં છે.

(9:51 pm IST)