Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ઠાસરાના ઓરંગપુરાની કેનાલમાંથી સગીરની હત્યા કરાયેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો :મૃતકના મિત્રએ પ્રેમિકાને પામવા કાસળ કાઢયાનુ કબુલ્યું

ઠાસરાના ઓરંગપુરાની કેનાલમાંથી સગીરની હત્યા કરાયેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે મૃતકના મિત્રએ એકતરફી પ્રેમને પામવા હત્યા કરી હોવાની કબૂલાત આપી છે અંગેની વિગત મુજબ  ઠાસરા તાલુકાના ઓરંગપુરા કેનાલમાંથી મળી આવેલ સગીરના મૃતદેહ મામલે તપાસના અંતે પોલીસ દ્વારા મૃતકના મિત્રને પકડી લેવાયો છે કિશોર મૃતક સગીરની પ્રેમિકાને એકતરફી પ્રેમ કરતો હોઇ તેને પામવા માટે મિત્રનું કાસળ કાઢ્યાની કબુલાત કરી હતી
   ડાકોર સી.પી.આઇ.દ્વારા તેને મહેસાણા જ્યુવેનાઇલમાં મોકલી અપાયો હતો

(12:49 am IST)