Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજપીપળા વીજ કંપનીના મીટર રીડરનું લાછરસ ગામની ફરજ દરમિયાન પગ લપસી જતા મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીમાં ફરજ બજાવતા એક કર્મચારીનું પોતાની ફરજ દરમિયાન મોત નિપજતા વીજ કંપનીમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
 મળતી માહિતી મુજબ રાજપીપળા વીજ કંપનીમાં મીટર રીડર તરીકે ફરજ બજાવતા શંકરભાઈ મગરીયાભાઈ વસાવા (ઉ.વ.૫૮) ( રહે,તરોપા તા.નાંદોદ જી.નર્મદા) ગઈ તા.૨૭/ ૧૧/૨૦૨૧ ના રોજ પોતાની નોકરી પર લાછરસ ગામે એગ્રીકલ્ચર મિટર રીડીંગ માટે ગયા હતો તે વખતે ખેતરનું પાણી ભરાયેલ હોવાથી કીચડ માંથી પગપાળા પસાર થતા હતા તે વખતે પડી જવાથી ઈજા થઇ હતી જેથી તેમને પ્રાથમિક સારવાર માટે તા.૦૧/૧૨/૨૦૨૧ ના રોજ રાજપીપળા સુર્યા હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે તા.૦૩/૧૨/૨૦૨૧ ના રોજ સરદાર પટેલ હોસ્પીટલ અંકલેશ્વર ખાતે દાખલ કર્યા હતા ત્યાં તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:03 pm IST)