Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પાટીદારો આગેવાનોની બેઠક : પાટીદારો પરના કેસો ઝડપથી પાછા ખેંચવા ખાતરી

નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા, જયેશ પટેલ અને ગીતા પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ખોડલધામના નરેશભાઈ પટેલ સહિત પાટીદાર નેતાઓની બેઠક પૂર્ણ થઇ છે. પાટીદાર નેતાઓની ભુપેન્દ્રભાઈ  પટેલ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે તેવી ખાતરી આપી હતી

 મુખ્યમંત્રી દુબઇથી પરત ફર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા, જયેશ પટેલ અને ગીતા પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તમામ પોલીસ કેસ ઝડપથી પરત ખેંચવા માટે મુખ્યમંત્રીએ બાહેધરી આપી હતી.

(10:22 pm IST)