Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત: ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા

ફેફસામાં ઈન્ફેક્શન થતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

અમદાવાદ : જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સિદ્ધાંતદિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબને ફેફસામાં ઈન્ફેક્શન થતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

  પૂજ્યશ્રીના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તે માટે સકળ સંઘ નિયત તપ-જપમાં વિશેષ વૃદ્ધિ કરે એવી પ્રેરણા આચાર્ય જયસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે સકળ સંઘને કરી છે.મહારાજ સાહેબની નાદૂરસ્તની તબિયતની જાણ થતા જૈન સમુદાય દ્વારા વિશેષ પ્રાર્થના કરાઈ રહી છે.

(11:29 pm IST)