-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
સુરતના વરાછામાં પોલીસે વોચમેનને માર મારતા માથાની નશ ફાટી :બ્રેઇન હેમરેજ થતા હાલત ગંભીર
સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સોંપી ન્યાયની માંગણી
સુરત : વરાછા પોલીસે ત્રણ દિવસ પહેલા પ્રોહીબીશનના કેસમાં પકડેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર મારવામાં આવતા તેના માથાની નશ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાની અરજી પોલીસ કમિશનરને ભોગબનનારના પરિવાર દ્વારા કરવામાં આવી છે. ડી-સ્ટાફે માર મારતા વોચમેનની હાલત હાલ કટોકટ હોય આ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સોંપી ન્યાયની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કાપોદ્વા પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા એક વેપારીના પુત્રને માર મારવામાં આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે વરાછા પોલીસના મારને પગલે વોચમેન હોસ્પિટલના બિછાને ગંભીર હાલતમાં છે.
નવાગામ-ડિંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી છે. અરજીમાં તેણે જણાવ્યું છે કે, તેના કાકા શિવસિંગ કુવરસિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. ગઇ ૧ સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસે શિવસિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બીજા દિવસે શિવસિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરાયો હતો.
ત્યારબાદ તે વરાછા પોલીસ મથકે તેનો મોબાઇલ અને ૫ હજાર રોકડા જે પોલીસ પાસે હોય તે લેવા માટે ગયા બાદ પરત ફેક્ટરી ઉપર પહોંચતા તેની તબિયત લથડતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા તબીબોની સલાહ પ્રમાણે વધુ સારવાર માટે નવી સિવિલ લઇ જવાતા ત્યાં તેને માથાની નશ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ માર મારવાથી ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી ઉપર પહોંચ્યા બાદ શિવસિંગની તબિયત લથડતા આ બાબતે પરિવારજનોને શંકા ઉપજી હતી.
મથકમાં જ તેની સાથે કોઇ અણબનાવ બન્યો હોય આ મામલે તપાસ કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. વરાછા ડી-સ્ટાફ દ્વારા શિવસિંગને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે. આ અંગેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે કરાવી ન્યાયની માંગણી કરવામાં આવી છે. પોલીસ મથકમાં એવી તો કંઇ ઘટના બની કે શિવસિંગની માથાની નશ ફાટી ગઇ. અરજદારે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ડીસ્ટાફની ઓફીસમાં આ બનાવ બન્યો છે. પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે તેમ છે