Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

સુરતમાં ધોરણ--9માં અભ્યાસ કરતા બે વિધાર્થીઓને કોરોના સંક્રમિત : વાલીઓમાં ફફડાટ : શાળા બંધ કરાઈ

ઉધના ખાતે આવેલ શાળાને ૭ દિવસ માટે બંધ : બંને વિધાર્થીઓને ક્વોરોન્ટાઇન કરાયા

સુરતના ઉધના ખાતે આવેલી શાળામાં ધોરણ ૯મ અભ્યાસ કરતા બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અને શાળાને ૭ દિવસ માટે બંધ કરવામાં આવી છે. શાળા વિધાર્થીઓ સંક્રમિત મળી આવતા સંચાલકો અને વાલીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ધોરણ નવમા અભ્યાસ કરતા બે વિધાર્થીઓનો કોરોના પોઝીટીવ આવતા બંને વિધાર્થીઓને ક્વોરોન્ટાઇન કરાયા છે. અને પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવીછે.

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વિધાથીઓ પોઝીટીવ આવતાં વાલીગણની ચિંતામાં વધારો થયો છે. જયારે નિષ્ણાતોના મતે ત્રીજી લહેરમાં બાળકોના મોટા પાયે સંક્રમિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(8:49 pm IST)