Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

નર્મદા જિલ્લામાં આજે 8 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક 1589 એ પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે 08 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાની શક્તિવિજય સોસાયટીમાં-01,નાંદોદ તાલુકાના આમલેથા 02,ભચરવાળા-02,આર.ટી.ઓ.ઓફીસ-વાવડી-01,ગરુડેશ્વર ના કેવડીયા ટેન્ટ સીટી-01 અને સાગબારાના ચોપડવાવ-01 મળી નર્મદા જિલ્લામાં 08 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 12 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 46 દર્દી દાખલ છે.આજરોજ 13 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1510 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક 1589 એ પહોચ્યો છે. આજે વધુ 359 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:29 pm IST)