Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સાળંગપુરમાં બી.એ.પી.એસ.મંદિરની અક્ષરવાડીમાં ગૌશાળામાં આગ લાગતા કડબનો જથ્થો બળીને ખાખ

બરવાળા તાલુકાનાં સાળંગપુર મુકામે આવેલ બી.એ.પી.એસ.મંદિરની ગૌશાળા ખાતે આગ લાગતા કડબનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આગના બનાવની જાણ થતા જ બરવાળા ન.પા.ની ફાયર ટીમ દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી

  . આ અંગે મળતી વિગત મુજબ બરવાળા તાલુકાના સાળંગપુરમાં આવેલ બી. એ .પી. એસ .મંદિરની અક્ષરવાડીની ગૌશાળા ખાતે સાંજના ૭ઃ૩૦ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી જેના કારણે પશુઓના ચારાની કડબના જથ્થામાં આગ પ્રસરી જતા મોટા પ્રમાણમાં કડબનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો

 આ બનાવ અંગેની જાણ બરવાળા નગરપાલિકાને થતા ન.પા.ના બે ફાયર ફાયટર તેમજ આઠ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો ન.પા.ની ફાયર ટીમ દ્વારા ૩ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ બનાવમાં અક્ષરવાડીની ગૌશાળામાં અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે મેદાનમા રહેલી કડબનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

 
(8:38 pm IST)