Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અંકલેશ્વરના નોબલ માર્કેટની ખુલી જગ્યામાં કચરાના ઢગલામાં આગ ભભૂકી :આજુબાજુના ગોડાઉનો લપેટમાં

પ્લાસ્ટીક વેસ્ટ અને લાક્ડા પણ બળીને ખાખ :બે ફાયર ફાયટર પહોંચ્યા

અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક આવેલ નોબલ માર્કેટની ખુલ્લી જગ્યામાં રહેલ કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી કચરાના ઢગલાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ આગે આજુબાજુના ગોડાઉનને પણ લપેટમાં લેતા ગોડાઉનોમાં રહેલા પ્લાસ્ટીક વેસ્ટ અને લાક્ડા પણ સળગી જવા પામ્યા હતા.

  આ આગની જાણ ફાયર વિભાગને કરાતા બે ફાયર ફાયટરો ઘટના સ્થળે ધસી આવી આગ કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ ગોડાઉન કોના છે અને આગ કેવી રીતે લાગી તેની તપાસ આરંભી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની ના થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

(8:45 pm IST)