Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

આણંદમાં તલાટી કમ મંત્રીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 39 હજારની માતાની ચોરી કરી

આણંદ: શહેરની વિદ્યા ડેરી રોડ ઉપર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા હરખાપુરાના તલાટી કમ મંત્રીના મકાનમાંથી તસ્કરો ૩૯ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ અમદાવાદના પરંતુ હાલમાં વિદ્યા ડેરી રોડ ઉપર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા ફરિયાદી મયુરીબેન જયંતિલાલ સોલંકી બોરસદ તાલુકાના હરખાપુરા ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. ગત ૩જી તારીખના રોજ સવારે તેઓ પોતાના મકાનને તાળુ મારીને પોતાની નોકરી પર ગયા હતા ત્યાંથી નોકરી પૂર્ણ કરીને અમદાવાદ જતા રહ્યા હતા

(5:54 pm IST)