Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરતના કતારગામની જેલમાંથી આરોપી બેઇલ જમ્પ કરી નાસી જતા નવ માસની સજાની સુનવણી કરવામાં આવી

સુરત:કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં સેશન સ્પેસ માં જેલવાસ ભોગવતા આરોપી મોના ઉર્ફે માનસિંગ હીરાજી રાજપૂતને ગુજરાત હાઇકોર્ટે તારીખ 25-9-2016 થી 14-10-2016 સુધી દસ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. પરંતુ સમયગાળા બાદ આરોપી જેલમાં પાછો ફરવાના બદલે બેઇલ જમ્પ કરીને નાસી છૂટયો હતો.

જેને કતારગામ પોલીસે તારીખ 27-8-18 ના રોજ ઝડપી લઈને પ્રિઝનર એક્ટ નો ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેસની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરવાના બદલે ગુનાનો ઇનકાર કરી કેસ ચલાવવા આગળ ની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ કેસ ચાલવા પર આવતા આરોપીએ પોતાના ગુનાની સ્વેચ્છિક કબુલાત કરવાની કોર્ટ સમક્ષ માંગ રજૂ કરી હતી.

(5:50 pm IST)