Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અમદાવાદના નવરંગપુરામા જમીન દલાલની હત્યાના સંદર્ભે પોલીસે વડોદરાના બે બ્રોકરની ધરપકડ કરી હોવાની માહિતી

અમદાવાદ:નવરંગપુરાના જમીન દલાલ ગોપાલ કાબરાની હત્યાના કેસમાં મહારાષ્ટ્રની ધુળે પોલીસે વડોદરાના પ્રોપર્ટી બ્રોકર સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી. પ્રોપર્ટી બ્રોકર કાબરાનો સંબંધી થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. અગાઉ તેણે ત્રણ વખત કાબરાની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું  તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે કાબરાની પત્નીને પુછપરછ માટે બોલાવી છે.

નવરંગપુરામાં સરેલા સોસાયટીમાં રહેતા ગોપાલ મોતીલાલ કાબરા(૫૦)ની મહારાષ્ટ્રના ધુળે સ્થિત સોનગીર નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અંગે ધુળે એલસીબી પોલીસે તપાસ હાથ ધરીને વડોદરાના પ્રોપર્ટી બ્રોકર રાજીવ ઉર્ફે વિહાન ત્રિવેદી અને ક્રિશ્ના ગેંડાલાલ સોમાણીની ધરપકડ કરી હતી.

(5:50 pm IST)