Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વર્ગ-૧ માંથી આઇ.એ.એસ કેડરમાં જવા માટે તક

ગાંધીનગર તા ૫  : સામાન્ય વહીવટ વિભાગની સત્તાવાર યાદી મુજબ જણાવવામાં આવે છે કે, રાજય સરકાર દ્વારા રાજય સેવાઓમાંથી આઇ.એ.એસ.માં પસંદગીથી નીમણુંક સંદર્ભે પારદર્શક વ્યવસ્થા અમલમાં મુકવામાં આવેલ છે. આ સંદર્ભમાં વર્ગ-૧ના અધિકારીઓ (GAS,GPS,GFS સિવાયના) કે જેઓ તા. ૧-૧-૨૦૧૮ ની સ્થતીએ ૫૬ વર્ષ કરતાં ઓછી વયના હોય અને વર્ગ-૧માં લેવલ-૧૦ ના પગારધોરણમાં ૮ વર્ષ કે તેથી વધુ સેવાઓ બજાવેલ હોય તેવા વર્ગ-૧ ના અધિકારીઓ જો તેઓ પસંદગીથી આઇ.એ.એસ. સંવર્ગમાં નિમણુક પામવા ઇચ્છા હોય તો સામાન્ય વહીવટ વિભાગને તા. ૦૧/૦૭/૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહે છે. આ અરજીનો નમુનો સામાન્ય વહીવટ વિભાગની websit http// gad.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

(3:33 pm IST)