Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વડગામ તાલુકાના મજાદર મંદિરમાં ગરમીના કારણે આધેડ ભિક્ષુકનું મોત

વડગામ તાલુકાના પ્રસિદ્ધ રામાપીર મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી એક અજાણ્યો ભિક્ષુક ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતો હતો દરમિયાન આ અજાણ્યા ભિક્ષુકનું ગરમીના કારણે મોત નીપજ્યું હતું.

છાપી પોલીસ મથકમાં ફરજ બજાવતા દિનેશદાન ગઢવી અને જગદીશભારથી દ્રારા મળતી માહિતી મુજબ મજાદર રામાપીર મંદિર આગળ છેલ્લા કેટલાક સમયથી ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતો હતો જોકે મંગળવારે અચાનક ગરમીના કારણે બેહોશ થતા મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ એ આ અજાણ્યા ઈસમને સિધ્ધપુર સારવાર માટે લઈ ગયા હતા જોકે વધુ સારવાર અર્થે ધારપુર લઈ ગયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો મૃતુક આશરે 52થી 60 વર્ષ તેમજ મજબૂત બાધાનો અને શ્યામ રંગનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(12:40 pm IST)