Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ડો.સૈયદના સાહેબ રાત્રે સુરતમાં

રાજકોટઃ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝફોલીનેશ ડો. સૈયદના અલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ) આજે રાત્રે સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેઇનમાં મુંબઇથી સુરત મુકામે પધારશે. ત્યાથી ડુમ્મસ એક દિવસ માટે જશે. અને ત્યાથી ફરી સુરતમાં નિમેએ તુસ સૈફીયા યુનીવર્સીટીની પરીક્ષા માટે જનાર છે.

સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરમાંથી દાઉદી વ્હોરા સમાજના લોકો સુરત દીદાર માટે મોટી સંખ્યામાં સુરત જશે. અને સુરતમાં સાત દાઇની જીયારત કરશે તેમ શેખ યુસુફભાઇ જોહરકાર્ડસ વાલાએ જણાવ્યું હતુ.

(11:39 am IST)