Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

નડિયાદ તાલુકાના નરસંડા વડતાલ રોડ નજીક બાઈક-સ્કૂટર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ગંભીર ઇજાથી ઘટનાસ્થળેજ મોત

નડિયાદ : નડિયાદ તાલુકાના નરસંડા વડતાલ રોડ પર આવેલ મુજપુરા પાટીયા પાસે એક બાઈક અને સ્કૂટર સામસામે આૃથડાતા સ્કૂટર ચાલકને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસૃથળે મૃત્યુ નીપજ્યું હતું.

પેટલાદ તાલુકાના મહુડીયાપુરા ખાતે પ્રકાશભાઈ રમેશભાઈ પરમાર રહે છે. પ્રકાશભાઈ વિદ્યાનગરમાં નોકરી કરે છે. જ્યારે તેમના પિતા રમેશભાઈ કણજરીમાં એક કંપનીમાં નોકરી કરે છે. રમેશભાઈ પોતાના સ્કૂટર લઈને નરસંડા વડતાલ રોડ પર મુજપુરા પાટીયા પાસેથી પસાર થતા હતા. તે વખતે સામેથી આવતા એક બાઈક ચાલકે પોતાની બાઇક ધડાકાભેર સ્કૂટર સાથે આૃથડાવીહતી. બંને વાહનોની ટક્કરમાં સ્કુટર ચાલક રમેશભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈનું ઘટના સૃથળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પ્રકાશભાઇએ ચકલાસી પોલીસ માથકે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંાૃધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:37 pm IST)