Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવાના પિતાના દુઃખદ અવસાન અંગે શોકસંતપ્ત પરિવારને જામલી ગામે સાંત્વના પાઠવી

રાજકોટ તા.૫

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપૂરના પોતાના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન કવાંટ તાલુકાના જામલી ગામે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી સુખરામભાઇ રાઠવાના નિવાસસ્થાને પહોચીને  સુખરામભાઇના પિતાશ્રીના તાજેતરમાં થયેલા દુઃખદ અવસાનથી શોકસંતપ્ત  પરિવારને  મળીને સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રીએ સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રીશ્રી સાથે આરોગ્ય રાજ્યમંત્રી  નિમિષાબહેન સુથાર, ધારાસભ્ય  અભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવાએ પણ સુખરામભાઇ રાઠવાના દિવંગત પિતાશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  

(2:46 pm IST)