Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મંત્રી પૂર્ણેશ મોદી હસ્‍તકના વિભાગોમાં ૨૨૨ દિ'માં ૨૨૨ નિર્ણયોઃ પુસ્‍તકનું વિમોચન

ગાંધીનગર,તા.૫: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે રાજયના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી હસ્‍તકના વિભાગો દ્વારા નાગરિકોને જનસુખાકારીના લાભ સત્‍વરે પૂરા પાડવા લેવાયેલા નિર્ણયોના સંકલિત પુસ્‍તક ‘સેવાયજ્ઞ' ‘રરર દિવસ-રરર નિર્ણયો'નું રાજય મંત્રીમંડળની બેઠક પછી ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ, વાહન વ્‍યવહાર વિભાગ, પ્રવાસન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તથા યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા જનહિતના જે નિર્ણયો કરવામાં આવેલા છે તે તમામ નિર્ણયોને આ પુસ્‍તકમાં આવરી લેવાયા છે.

મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વની રાજય સરકારે રરર દિવસ પૂર્ણ કર્યા છે તેના ભાગરૂપે આ રરર નિર્ણયોને પુસ્‍તક સ્‍વરૂપે સંકલિત કરીને જન ઉપયોગ માટે પ્રકાશિત કરવામાં આવ્‍યા છે. રાજય મંત્રીમંડળના સૌ સભ્‍યો આ પુસ્‍તક વિમોચન અવસરે ઉપસ્‍થિત રહ્યા હતા

(1:24 pm IST)