Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

નડિયાદમાં કાઉન્સીલરના ભત્રીજા પર નજીવી બાબતે શખ્સોનો જીવલેણ હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો

નડિયાદ: વોર્ડ નંબર ૬ના કાઉન્સિલરે શાંતિ ફળિયામાં રહેતા નરેશભાઈ દેવસિંહ પરમાર ઉપર હુમલો કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. જ્યારે કાઉન્સિલરના ભત્રીજા ઉપર સામાપક્ષ દ્વારા હુમલો કર્યાની ફરિયાદ પણ દાખલ થઈ છે. બંને પક્ષે સામસામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં કાઉન્સિલરના ભત્રીજાને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર આપવામાં આવી હતી..

નડિયાદ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે એક યુવક પર ૧૭ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. યુવક બીજો કોઈ નહીં પરંતુ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના નગરસેવક કાનાભાઈ પરમારનો ભત્રીજો હતો. સમગ્ર ઘટનામાં કાઉન્સિલરના ભત્રીજા કરણ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર તે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ચાઈનીઝની લારીએ નાસ્તો લેવા ગયો હતો. દરમ્યાન તેની ઉપર સામાપક્ષે મુકેશભાઈ પરમાર અને તેમના ટોળાએ હુમલો કર્યો હતો. ઉપરાંત કરણ સાથે આવેલ તેના મિત્ર કયુમ મલેકને પણ ઈજોઓ પહોંચાડી હતી. જેથી બંનેને ઈજોઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર આપવામાં આવી હતી. નગરપાલિકાના એક કાઉન્સીલરના ભત્રીજાએ અંગે નડિયાદ ટાઉન મથકે ફરિયાદ દાખલ કરાવી છે

(5:07 pm IST)