Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભારતયાત્રા અંતર્ગત અમદાવાદમાં કાલે 'સ્વચ્છ ભારત મેળો ' યોજાશે

કાંકરિયા તળાવખાતે મુખ્યમંત્રીના હસ્તે થશે પ્રારંભ : કિંજલ દવે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

અમદાવાદ :મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે દેશભરમાં ભારતયાત્રા યોજાનાર છે. આ ભારતયાત્રા અંતર્ગત લોકોમાં સ્વાસ્થ્ય અંગે જનજાગૃતી આવે તે માટે અમદાવાદ ખાતે 5મીએ  ''સ્વસ્થ ભારત મેળો''નું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી ઉપસ્થિત રહેશે.

  કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા તેમજ રાજ્યના આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમ 5મી ડિસેમ્બરના રોજ સાંજે 4-00 કલાકે કાંકરિયા તળાવ,અમદાવાદ ખાતે યોજાશે. આ વેળાએ ગુજરાતના લોકપ્રિય કલાકાર કિંજલબેન દવે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

(5:37 pm IST)